લૉકડાઉન અને કોરોના ના કપરા સમય માં પાક ધિરાણને લઇને ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.. - CINE AISHWARYA

Breaking

Translate

Friday, May 29, 2020

લૉકડાઉન અને કોરોના ના કપરા સમય માં પાક ધિરાણને લઇને ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય..

કેન્દ્ર સરકારે પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કર્યો છે. 31 મે પાક ધિરાણ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે હવે 3 મહિનાની સમય મર્યાદા વધતા પાક ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. મોરેટોરિયમ પીરીયડ ત્રણ માસ વધારી અપાયો છે. મુદ્દત વધારવા સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર લખી કૃષિ ધિરાણ ભરવાની સમયમર્યાદામાં વધારો કરાવાની માગ કરી હતી. મહત્વનું છે કે, કૃષિ ધિરાણ ભરવા માટે 31 મે સુધીની અંતિમ તારીખ હતી. ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી ઝડપી બનાવવા અને ખેતી સિંચાઈ માટે 12 કલાક વીજ પૂરવઠો આપવાની પણ માગણી કરાઈ હતી.

 DOWNLOAD THIS APP

No comments:

Post a Comment

Pages