રાજકોટ શાસ્ત્રી મેદાન પાસે કચરા ગાડીની ઠોકરે વૃદ્ધ કચડાતા મોત... - CINE AISHWARYA

Breaking

Translate

Friday, May 29, 2020

રાજકોટ શાસ્ત્રી મેદાન પાસે કચરા ગાડીની ઠોકરે વૃદ્ધ કચડાતા મોત...

રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન એસટી બસ સ્ટેશન પાસે સાંજે ચાર વાગ્યા ની આસપાસ કચરા ગાડીની ઠોકરે ચડી જતાં અજાણ્યા વૃધ્ધનું દિવાલ સાથે દબાઇ જતાં મોત નિપજ્યું છે જાણવા મળ્યા મુજબ ફૂટપાથ પરના કચરા ના ઢગલા હોઇ તે ભરવા માટે કચરા ગાડી નીકળી હતી.અચાનક ગાડીમાં લિવર દબાઇ જતાં ગાડી ફૂટપાથ પર ચડી ગઇ હતી અને ત્યાં બેઠેલા ભિક્ષુક જેવા વૃધ્ધ કચડાઇ ગયા હતાં. આ વખતે ડ્રાઇવીંગ સીટ પર કોર્પોરેશનના કર્મચારી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ મેળવવા પણ તજવીજ થઇ રહી છે.







No comments:

Post a Comment

Pages