શિહીદ સ્મારકે યોજાયો "એક શામ જવાનો કે નામ "કાર્યક્રમનુ આયોજન કરાયું.. - CINE AISHWARYA

Breaking

Translate

Tuesday, January 29, 2019

શિહીદ સ્મારકે યોજાયો "એક શામ જવાનો કે નામ "કાર્યક્રમનુ આયોજન કરાયું..



શિહીદ સ્મારકે યોજાયો "એક શામ જવાનો કે નામ "કાર્યક્રમનુ આયોજન કરાયું....

ભુજ તાલુકાના ખાવડા ખાતે 26 જાન્યુઆરીના દિવસે સીમ તિરંગા યાત્રા યોજાઈ હતી , સાથોસાથ ધર્મશાળા ચોકી ખાતે એક શામ જવાનોને કે નામનો કાર્યક્રમ પણ યોજાયો હતો . સમાજન કલ્યાણ સમિતિ ખાવડા તાલુકા દ્વારા સીમા તિરંગા યાત્રા અંતર્ગત બાઈકરેલીનુંખાવડાથી ધર્મશાળા ચોકી શહિદ સ્મારક સુધી 70 બાઇકવીરો સાથે બાઈકરેલીનું આયોજન કરાયું હતું . ખાવડામાં પ્રારંભે આર . એસ . એસના વિભાગ કાર્યવાહ જેન્તીભાઇ નાથાણીએ યુવાનોને જાગૃત કરતા કહ્યું કે , અખંડ ભારત સદૈવ રહેવું જોઈએ . ફરીથી રાષ્ટ્રના ટુકડા ન થાય માટે યુવાનોને રાષ્ટ્રીય કાર્યોમાં જોડવા આહવાન કરાયું હતું બીએસએફની ધર્મશાળા ચોકી શહીદ સ્મારક ખાતે આયોજિત એક શામ જવાનોને નામ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોના તાલે જવાનો ઝૂમી ઉઠ્યા હતા . બિદડા હાઈસ્કૂલના વિદ્યાર્થીનોએ તલવાર રાસથી સૌને અચંબિત કર્યા હતા . પ્રસંગે બીએસએફના અધિકારી રાહુલ વશિષ્ટએ સીમાવર્તી વિસ્તારોમાં લોકજાગૃતિ પર ભાર મુક્યો હતો . સમિતિના મહામંત્રી જીવણભાઈ આહિરે સીમાંકનકલ્યાણ સમિતિના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું . કાર્યક્રમમાં આર્થિક સહયોગ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પરેશ ઠક્કરનો રહ્યો હતો . આ કાર્યક્રમમાં હિંમતસિંહ વસણ , હીરાલાલ રાજદે , પંકજ રાજદે , બીજલ મારવાડા , આનંદ રાજદે , રાજમલજી સોઢા , ધવલ ઠક્કર , દિનેશભાઈ ગજ્જર પરેશભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા .


No comments:

Post a Comment

Pages