ગુજરાતની તમામ ર૬ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે : રાજુભાઈ ધ્રુવ - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, April 25, 2019

ગુજરાતની તમામ ર૬ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે : રાજુભાઈ ધ્રુવ

સમગ્ર ગુજરાતમાં મોદી લહેર ફરી વળી છે. ગુજરાત ફરી એક વખત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ગુજરાતના શાણા નાગરિકોએ ભાજપની મતપેટીઓ છલકાવી દીધી  છે. ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા અને મીડિયા કન્વીનર રાજુભાઇ ધ્રુવે એક નિવેદનમાં વિશ્વાસ વ્યકત કરી જણાવ્યું છે.  સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠક સહિત ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય સુનિશ્ચિત હોવાનું તેમણે દ્રઢપણે જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજયમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિકાસના કામો,લોક કલ્યાણની યોજનાઓ,સરકારની આમ નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા અને સૌનો સાથ સૌનો વિકાસની લાગણીની લોકોએ કદર કરી છે. વિજયભાઈએ સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ કરેલી સભાઓ દરમિયાન તેમને મળેલો પ્રચંડ પ્રતિસાદ અને લોકો તરફથી મળેલો પ્રેમએ વાતની ગવાહી પુરે છે કે લોકોએ ભાજપના સાશનમાં વિશ્વાસ વ્યકત કર્યો છે. રાજુભાઈએ વિજયભાઇના સાશનકાળ દરમિયાન રાજકોટને એઇમ્સની  ફાળવણી, ઇન્ટરનેશનલ એર પોર્ટ, સૌની યોજના જેવા વિકાસ કાર્યોનો યાદ કરીને લોકોએ મતદાન કર્યુ. મતદાન અંગે વિશ્લેષણ કરતાં તેમણે જણાવ્યું હતું  કે ૨૦૧૪ ની ચૂંટણીમાં તત્કાલીન યુ.પી.એ.સરકાર સામે વિરોધની લાગણી હતી.નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ૬૩ ટકા જેટલું જંગી મતદાન થયું હતું.આ વખતે કેટલાંક રાજકીય નિરીક્ષકો એવું માનતા હતા કે સપાટી પર ન દેખાતા કોઈ મોજાના અભાવને કારણે મતદાનની ટકાવારી ઘટશે. પણ એથી ઊલટું આ વખતે મતદાન વધ્યું છે. ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આધાર માનીને સૌરાષ્ટ્રની અમરેલી,સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠકો જીતવાનું કોંગ્રેસે દિવાસ્વપ્ન નિહાળ્યું હતું.પણ એ બેઠકોમાં ભાજપ તરફી થયેલા જંગી મતદાન બાદ કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે.લોકોએ કોંગ્રેસના જૂઠા વાયદાઓ અને જ્ઞાતિવાદી નકારાત્મક રાજકારણને જાકારો આપ્યો હોવાનું અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવી તમામ કાર્યકરો, પ્રજાજનો - મતદારો,ચૂંટણી કાર્યમાં સહભાગી બનનાર સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અને સુરક્ષા દળના જવાનો તથા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના સંચાલકો, પત્રકાર મિત્રોનો આભાર વ્યકત કર્યો હતો..




No comments:

Post a Comment

Pages