દેશમાં કોરોના વાયરસના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ૨૨.૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૧૨૩ લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩,૭૫૦ કેસ નોંધાયા છે. જયારે તેની સામે ૧૦,૮૪૬ કોરોના દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી ૧૨૩ દર્દીઓના જીવ ગયા છે. હાલ દેશમાં ૧,૪૫,૫૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે કુલ ૩,૪૨,૯૫,૪૦૭ દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મૃત્યુઆંક ૪,૮૧,૮૯૩ પર પહોંચ્યો છે.
મુખ્યમંત્રી સવારે શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,ધારાસભ્ય શંભૂજી , આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment