વેલેન્ટાઈન ડેનાં દિવસે પ્રેમીયુગલ સજોડે આપઘાત. - CINE AISHWARYA

Breaking

Translate

Thursday, February 14, 2019

વેલેન્ટાઈન ડેનાં દિવસે પ્રેમીયુગલ સજોડે આપઘાત.



વેલેન્ટાઈન ડેના દિવસે માંડવી તાલુકાના બિદડા ગામે એક પ્રેમી યુગલે સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. માંડવી પોલીસમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર મૃતક યુવક ફેનીલ મંગલભાઈ સંઘાર 19 વર્ષનો હતો અને તેને માંડવીના નાની ખાખર ગામમાં રહેતી અનુસૂચિત જાતિની એક સગીર કન્યા સાથે પ્રેમ હતો. બંનેના પ્રેમમાં સમાજ-જ્ઞાતિ જેવા બંધનો નડતાં હોઈ તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા છે. આજે સવારે નવ વાગ્યા બાદ સગીરા ફેનીલના ઘરે આવી હતી. બાદમાં ઉપરના રૂમમાં જઈ બંને જણાંએ લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બંનેએ આપઘાત કરવા માટે દ્રઢ નિશ્ચય કર્યો હોય તેમ ગળેફાંસો ખાતાં પહેલાં તેમણે પોત-પોતાના હાથમાં બ્લેડથી છેકાં માર્યા હતા અને ઝેરી દવા પીવાનો પણ પ્રયાસ કર્યો હતો તેમ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વેલેન્ટાઈન ડેના દિવસે જ પ્રેમી યુગલના આપઘાતના બનાવે સમગ્ર પંથક માં ચકચાર સર્જી છે. બનાવ અંગે માંડવી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે.જલુએ આગળ ની તપાસ હાથ ધરી છે.

રિપોટ- અજય ખત્રી




No comments:

Post a Comment

Pages