પુલવામાં CRPF પર કાયરતા પૂવઁક હુમલો
અહેવાલ: અજય ખત્રી
આતંકીઓને આત્મઘાતી બ્લાસ્ટ કરી સુરક્ષાદળોને નિશાન બનાવ્યા. CRPFના કહેવા મુજબ 2500થી વધારે જવાનોનો કાફલો પુલવામા તરફ જઈ રહ્યો હતો. ત્યારે આતંકીઓ પોતાની કાયરાના હરકત કરી આ હુમલો કરવામાં સફળતા મેળવી હતી. આતંકીઓએ બ્લાસ્ટની સાથે ફાયરિંગ પણ કર્યું હતું. તેના નિશાન પણ સેનાની ગાડીઓ પર મળ્યા હતા. આ હુમલામાં સેનાના મેજર પણ શહીદ થયા જ્યારે હજુ કેટલાય જવાન હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. 42 જવાનો શહીદ થયા છે .
આ હુમલો એટલો તીવ્ર હતો કે સેનાની ગાડીના કુરચે કુરચા ઉડી ગયા. અનેક જવાનોએ ઘટનાસ્થળ પર જ પોતાનો દેહ આ દેશ માટે છોડી દીધો. તો કેટલાક વીરોએ હોસ્પિટલમાં સારવાર લઈ આ ધરતી પરથી વિદાય લીધી. બ્લાસ્ટ બાદ રોડ લોહીથી લથપથ થઈ ગયો. રસ્તા પર કાટમાળ જ નજરે પડી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર વીર જવાનોના અવશેષો જ પડેલા હતા. આપણા એ રણબંકાઓના મૃતદેહ આમ તેમ વેર વિખેર પડ્યા હતા. જવાનોના મૃતદેહ ની હાલત જોઈ પણ શકાય નહી એવી હતી .
હુમલો કરનાર આતંકીની ઓળખ આદિલ અહેમદ ડાર તરીકેની સામે આવી છે. આ આતંકી જૈશ-એ-મોહમ્મદનો હોવાનું સામે આવ્યું છે. જવાનો જ્યારે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આદિલ અહેમદ ડાર નામના આતંકીએ કાર વડે જવાનોના વાહન પર ફિદાઈન હુમલો કર્યો હતો. આ હુમલો કરાયો ત્યારે CRPFના કાફલામાં 2500થી વધારે સેનાના અધિકારીઓ સવાર હતા.
PM મોદી બોલ્યાં, બલિદાન વ્યર્થ નહીં જાયત્યારે દેશના પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે આતંકવાદી હુમલાને વખોડ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય. બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહિદ જવાનોના પરિવાર સાથે છે. વધુમાં તેમણે કહ્યું કે, ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે સતત સંપર્કમાં છું. અને ઘટનાસ્થળ પરના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું.
પુલવામામાં આતંકી હુમલોઃ મારું લોહી ઉકળી રહ્યું છે, લોહીનાં એક એક ટીપાંનો બદલો લઈશું- વી.કે સિંહ
શહિદોની નામાવલી
આવા કરાયા ટ્વિટ
પુલવામાં આતંકી હુમલા મુદ્દે દેશભરમાં રોષ . કહ્યું ધરમાં ધુસીને મારો . સોશિયલ મીડિયા પર અપાઇ રહી છે શહિદોને શ્રદ્ધાંજલીઓ .
No comments:
Post a Comment